Gujarat Weather: આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ
Gujarat Weather: નવરાત્રીનો તહેવાર અડધો પુરો થયો છે. ત્યારે હજી પણ નવરાત્રીના માથે વરસાદી સંકટ મંડરાઈ રહ્યું છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ એકદમ ધીમો થવાના કારણે ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતો. જેથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો અને મન મુકીને ગરબે ઝુમી રહ્યા છે. જોકે, રવિવારના દિવસથી રાજ્યમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે 27મી તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 27મી તારીખે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે રવિવાર, 28 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 29મી તારીખની વાત કરીએ તો, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
30મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પહેલી ઓક્ટોબરના રોજ આખા રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96% વરસાદ વરસ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
