Gujarat Weather: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની આગાહી
આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે.

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 7 અને 8 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું ધીમું પડી ગયું છે અને હવે તે ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું દ્વારકા અને નલિયાથી લગભગ 990 કિલોમીટર દૂર છે, તેથી ગુજરાત પર તેની કોઈ મોટી કે ગંભીર અસર થવાની સંભાવના નથી. જોકે, આ સિસ્ટમની આડઅસરરૂપે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે. જોકે, હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ બદલાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગે સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબર સુધી આખા રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 9મી ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટી શકે છે. આ તારીખે કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદી માહોલ અને દરિયામાં પવનની ગતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે. આગામી 5 દિવસ સુધી કોઈપણ માછીમારે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
