Gujarati News: ગુજરાત બાર કાઉન્સિલ તરફથી વસૂલાતી ફી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન
Gujarati News: વકીલાતની સનદ માટે અલગ અલગ મથાળા હેઠળ 25000 રૂપિયા જેટલી માતબર રકમ લેવાતી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જે કારણે વકીલાતની સનદ માટે અતિશય ફી લઇ શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વકીલાતના વ્યવસાય કરવા પર આડકતરી રોકથી લોકોના ધંધા રોજગારની પસંદગીના મૂળભૂત અધિકાર પર તરાપ વાગતી હોવાની ફરિયાદ પણ આ પિટિશનમાં કરવામાં આવી છે.

તાજેતરમાં જ કાયદા શાખામાં ઉત્તીર્ણ થયેલ એક અરજદારે કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. આ અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા ગુજરાત બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. આ અંગે 9 ઓગષ્ટ સુધીમાં ખુલાસો કરવા માટે ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
