અમરનાથમાં 52 યાત્રીઓને બચાવનાર ડ્રાઇવરને મળ્યો આ પુરસ્કાર
અમરનાથ યાત્રીઓની પ્રાણ બચાવનાર સલીમભાઇને કેન્દ્ર સરકારે દેશના બીજા સર્વોચ્ચ એવોર્ડથી આ વખતે સન્માનિત કરશે. જાણો આ અંગે વધુ અહીં.
ગુજરાતથી અમરનાથમાં યાત્રા કરવા ગયેલા 52 યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલાની વાત હવે સૌ કોઇ જાણે છે. આ હુમલામાં આતંકીઓ વચ્ચે ફસાયેલા ડ્રાઇવરની બાહદૂરીને આ વખતે પ્રજાસત્તાક દિવસે ખાસ સન્માનિત કરવામાં આ વશે. ગુજરાતની આ બસના ડ્રાઇવર શેખ સલીમ ગફૂરને પોતાની સમજદારી અને હિંમત માટે દેશનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારે 13 લોકોને ઉત્તમ જીવન રક્ષા પદક સન્માન આપવાની જાહેરાત કરી હતી. જેમાં ડ્રાઇવર શેખ સલીમ ગફૂરનું નામ ટોપ પર હતું.

નોંધનીય છે કે દર વર્ષે 26 જાન્યુઆરી પહેલા ગૃહ મંત્રાલય તરફથી જીવન રક્ષા પદક વીરતા માટે નાગરિકોના નામની સૂચિ જાહેર કરવામાં આવે છચે. આ વખતે જાહેર થયેલી આ સૂચિમાં સલીમભાઇનું નામ પણ તેમના અદ્ધભૂત સહાસને જોતા જોડવામાં આવ્યું છે. નોંધનીય છે કે દેશના નાગરિકોને આપવામાં આવતું આ બીજું સર્વોચ્ચ સન્માન છે.
ઉલ્લેખનીય છે કે 10 જુલાઇ 2017ના રોજ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓને લઇ જતી એક બસ પર આંતકીઓએ હુમલો કરીને અંધાધૂન ગોળીઓ વરસાવી હતી. આ સમયે જો ડરીને સલીમભાઇએ બસ થોભી દીધી હોત તો અનેક લોકોની જાન જાત. પણ આતંકી હુમલા છતાં સલીમ ભાઇ બસ ભગાવી મારી અને બસમાં સવાર અનેક લોકોના પ્રાણ બચાવ્યા. નોંધનીય છે કે આ ઘટનામાં સાત તીર્થયાત્રીઓની મોત થઇ છે. અને 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે આ માટે ગુજરાત સરકારે પહેલા જ તેમનું સન્માન કર્યું હતું અને તેમને કેન્દ્રીય વીરતા પુરસ્કાર પણ મળે તે માટે પ્રયાસ કરવાની વાત ઉચ્ચારી હતી.












Click it and Unblock the Notifications
