હાર્દિક પટેલે કર્યું આત્મસમર્પણ, પણ પોલીસે ના કરી અરેસ્ટ
હાર્દિક પટેલ જ્યાં સમર્પણની વાત કરી તો પોલીસે તેની ધરપકડ કરવાની ના પાડી. જાણો શું કારણ આપ્યું પોલીસે?
હાર્દિક પટેલે સોમવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આત્મસમર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસે તેની ધરપકડ કરવાની ના પાડતા તેને ત્યાંથી જવું પડ્યું હતું. નોંધનીય છે કે રીક્ષામાં લાલ ટીશર્ટ પહેરીને હાર્દિક પટેલ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવ્યા હતા. આ સાથે જ પાસના અન્ય 13 કાર્યકર્તાઓ જે પણ આ કેસમાં સંડોવાયેલા છે. તે પણ હાર્દિક પટેલ સાથે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રહ્યા હતા. પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ કેસની તપાસ કરતા ઇન્ચાર્જ અધિકારી ત્યાં હાજર ન હોવાનું કહીને હાર્દિક પટેલની ધરપકડ કરવાની ના પાડી હતી.

જે બાદ હાર્દિક પટેલ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઉપરથી હાર્દિકને પકડવાના આદેશ ના હોવાના કારણે આ બહાના હેઠળ તેની ધરપકડ કરવાનું ટાળવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાર્દિક પટેલ અને તેના 13 જેવા સાથીઓ પર અમદાવાદના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોટ, રાયોટિંગ જેવા સગીન ગુના હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે. હાર્દિકે આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. અને આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ ઘટના ધીરે ધીરે રાજકીય રંગ લઇ રહી હોય તેવું લાગે છે.
आत्मसमर्पण भी नहीं स्वीकारा।।।।
— Hardik Patel (@HardikPatel_) March 27, 2017
अहमदाबाद क्राइम ब्रांच में हाज़र रहा फिर भी अरेस्ट नहीं किया....
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
