હાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, ‘125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'
પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ કે હિંદુસ્તાનીઓના નામ પણ બદલી દેવા જોઈએ.
હાલમાં
શહેરોના
નામ
બદલીને
ભાજપ
સરકારને
ઘણી
ટીકાઓ
સહેવી
પડી
છે.
અલાહાબાદ
અને
ફૈઝાબાદનું
નામ
બદલ્યા
બાદ
અમદાવાદનું
નામ
બદલવાની
વાત
પણ
સામે
આવી
હતી.
આના
પર
પાટીદાર
નેતા
હાર્દિક
પટેલે
ભાજપ
પર
કટાક્ષ
કરતા
કહ્યુ
કે
હિંદુસ્તાનીઓના
નામ
પણ
બદલી
દેવા
જોઈએ.
હાર્દિક
પટેલે
કહ્યુ
કે
દેશવાસીઓના
નામ
બદલીને
'રામ'
રાખી
દેવા
જોઈએ.
પાટીદાર
નેતા
હાર્દિક
પટેલે
શહેરોના
નામ
બદલવા
પર
સરકાર
પર
નિશાન
સાધ્યુ
છે.
હાર્દિક
પટેલે
મીડિયા
સાથે
વાતચીતમાં
કહ્યુ,
'જો
આ
દેશમાં
માત્ર
શહેરોના
નામ
બદલવાથી
દેશને
સોનાની
ચિડિયા
બનાવી
શકતા
તો
હું
માનુ
છુ
કે
125
કરોડ
હિંદુસ્તાનીઓના
નામ
રામ
રાખી
દેવા
જોઈએ.'
પટેલે
કહ્યુ
કે
દેશમાં
બેરોજગારી,
ખેડૂતોના
પ્રશ્ન
મોટા
છે
અને
તેમના
નામ
અને
મૂર્તિઓના
ચક્કરમાં
પડ્યા
છે.
આ પણ વાંચોઃ શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની 'બલ્લે'
હાર્દિક પટેલે ભાજપને રામ મંદિર મુદ્દે પણ ઘેરી. તેમણે કહ્યુ કે રાફેલ અને સીબીઆઈ જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહી છે. થોડાક દિવસોમાં ઉત્તરપ્રદેશમાં પહેલા અલાહાબાદ અને બાદમાં ફૈઝાબાદનું નામ બદલવા માટે ઘણો વિવાદ થયો હતો.
Agar iss desh mein sirf shehron ke naam badlne se desh ko sone ki chidiya bana sakte toh main maanta hun ki 125 crore Hindustaniyon ka naam Ram rakh dena chahiye. Iss desh mein berozgari,kisanon ka prashn bada hai aur yeh naam aur murtiyon ke chakkar mein hain:Hardik Patel(14.11) pic.twitter.com/UFUjcKSodN
— ANI (@ANI) 15 November 2018
યુપીની યોગી સરકારે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધુ છે. વળી, ફૈઝાબાદનું નામ હવે અયોધ્યા થઈ ગયુ છે. ત્યારબાદ ગુજરાતના અમદાવાદનું નામ બદલવાના પણ સમાચાર આવી રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર આમ થઈ શક્યુ નહિ.