ગોડસેના બદલે ભગતસિંહ જેવું બનવાનું પસંદ કર્યો એટલે કેસ થયો : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં સેશન કાર્ટમાં હાજરી આપી એક પછી એક ટ્વિટ કરીને ઊભો કર્યો વિવાદ. ભગતસિંહથી લઇને ગોડસે મામલે હાર્દિકે શું ટિપ્પણી કરી જાણો અહીં
સોમવારે, અમદાવાદમાં રાજદ્રોહ કેસ મામલે સેશન્સ કોર્ટમાં હાજરી આપવા માટે પાસ નેતા હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થવાની હતી. જો કે કોર્ટ રૂમમાં બેઠા-બેઠા જ હાર્દિકે એક પછી એક ટ્વીટ કરીને ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર ફરી બનતા, કોર્ટના ધક્કા વધી ગયા છે. જો હું ખરેખર આરોપી હોત તો હું જેલ અને કોર્ટના ચક્કરમાં નહીં, ભાજપમાં હોત. ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ રાખીશ કેમ કે સરકાર, પોલીસ અને પ્રશાસન પર તો વિશ્વાસ નથી રહ્યો. સાથે જ તેણે કહ્યું કે ભારતીય રાજકારણમાં હાલ વૃદ્ધ લોકોની જ બોલબાલા છે. અને ખૂબ જ ઓછા યુવા નેતાઓ રાજનીતિમાં આવે છે. કારણ કે ભારતની રાજનીતિનો માહોલ દિવસેને દિવસે બદલાઇ રહ્યો છે. અને સત્તાલાલચું લોકો રાજકારણમાં વધી રહ્યા છે. તેણે કહ્યું કે દેશના યુવાનો રાજનીતિમાં શોખ ધરાવે છે પણ દૂરથી જ બેસી તમાસો જુઓ છે અને બીજાનો વાંક નીકાળે છે અને તેને જઇને ઠીક કરતા ડરે છે.
गुजरात में भाजपा की दुबारा सरकार बनते ही कोर्ट के धक्के ज़्यादा हो गए,
— Hardik Patel (@HardikPatel_) January 8, 2018
अगर सच में आरोपी होता तो में जेल और कोर्ट के चक्कर में नहीं भाजपा में होता !!
न्यायतंत्र पर पूरा विश्वास रखूँगा क्यूँकि सरकार,पुलिस और प्रशासन पर तो विश्वास नहीं हैं।
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેના અનામત આંદોલન માટે નવી પાસ સમિતિનું સર્જન કરી આંદોલનને ફરી શરૂ કર્યું છે. આ વખતને 2019ને ટાર્ગેટ કરીને શહેરી વિસ્તારોને પણ પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ શિક્ષણ જગતથી લઇને ગુજરાતના વિવિધ પ્રશ્નો પર તે હાલ સોશ્યલ મીડિયા દ્વારા પોતાનો પ્રતિભાવ રજૂ કરીને ચર્ચામાં રહી રહ્યો છે. કોર્ટના ચક્કરો પછી હાર્દિકે ટ્વિટ કરી એક બીજું પણ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મેં ભગતસિંહ જેવું બનવાની વાત કરી તો મારી પર દેશદ્રોહ લગાવવામાં આવ્યો પણ જો હું ગોડસે બનવાની વાત કરતો તો મારી પર દેશદ્રોહ ના લાગતા. આમ હાર્દિકે આડકતરી રીતે આરએસએસને સંઘ પરિવારને ટાર્ગેટ કર્યો છે.
आज से मेरे केस कोर्ट में चलने लगे जिसमें सरकार ने कहाँ की हार्दिक आंदोलन में बार बार भगतसिंह की बात कही हैं।
— Hardik Patel (@HardikPatel_) January 8, 2018
मैंने कहाँ की मैं भगतसिंह जैसा बनना चाहता हूँ इसलिए मुझ पर देशद्रोह का मुक़दमा लगा दिया है लेकिन मैं गोडसे बनने की बात करता तो आज मुझ पर देशद्रोह का मुक़दमा नहीं लगता
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
