ગુજરાત વિધાનસભામાં અમિત ચાવડા વિપક્ષ નેતા તરીકે પદ ગ્રહણ કરશે, શૈલેષ પરમાર ઉપનેતા
ગુજરાત વિધાનસભના અધ્યક્ષ તરીકે અમિત ચાવડા પદ ગ્રહણ કરશે ગુજરાત વિધાનસભામાં કોગ્રેસને 17 બેઠકો મળી હતી. ગૃહમાં વિરોધ પક્ષના નેતા બનવા માટે 19 બેઠકો મળવી જરૂરી છે.
ગુજરાત વિધાનસભાની વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા પદ ગ્રહણ કરશે. ગુજરાત વિધઆનસભાના નેતા વિપક્ષ માટે કોગ્રેસ પાસે નામ માંગવામાં આવ્યા હતા. તેમા અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા અને શૈલેષ પરમારને ઉપ નેતા તરીકે કોગ્રેસ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક મળી હતી. જ્યારે કોગ્રેસને 17 બેઠકો પર જીત મળી હતી આપને 5 બેઠકો મળી હતી.
વિરોધ પક્ષના પદ માટે 19 બેઠકો મળવી જરૂરી છે કોગ્રેસને 17 બેઠકો જ મળી હતી એટલે ગુજરાત વિધાનસભાના નિયમ મુજબ તેને આ પદ મળી શકે તેમ નહોતુ. પરંતુ તેમ છતા ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ પદ આપવાન નિર્ણય કર્યો છે. પૂર્વમાં જ્યારે ભાજપને પણ 19 બેઠકો કરતા ઓછી સીટ મળી હતી ત્યારે કોગ્રેસ સરકાર દ્વારા પણ ભાજપને વિરોધ પક્ષનુ પદ આપવામાં આવ્યુ હતુ.
કોગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકેના નામની પસદગી કરવાનો નિર્ણય હાઇકમાન્ડ પર રાખ્ય હતો. તને લઇને પ્રદેશ નેતૃત્વ દ્વારા એક લીટીનો ઠરાવ હાઇકમાન્ડને મોકલી આપ્યો હતો. વિરોધ પક્ષના નેતા તરીકેના અનેક નામોની ચર્ચા થઇ હતી. જેમા અમિત ચાવડા ક્યાંય હરીફાઇમાં નહોતા તેમ છતા તેમની પસંદગી થતા કોગ્રેસ કાર્યકર્તાઓમાં આશ્ચર્ય થયુ હતુ.