ગુજરાતમાં વરસાદના કારણે 19 ના મોત, 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક જ અઠવાડિયામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક જ અઠવાડિયામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નીપજ્યા છે. વળી, પાણીમાં ફસાઈ જવાને કારણે એક હજારથી વધુ લોકોને રાહત અને બચાવ કાર્ય દ્વારા સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. 84 પાલતુ પ્રાણીઓ પણ વરસાદને કારણે મરી ગયા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદે સૌથી વધુ તબાહી મચાવી છે. અહીં જનજીવન પૂરેપૂરુ ઠપ્પ થઈ ગયુ છે. સુરતમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પર અસર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના સ્થળોએ આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદે સૌથી વધુ તબાહી મચાવી છે. અહીં જનજીવન પૂરેપૂરુ ઠપ્પ થઈ ગયુ છે. સુરતમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પર અસર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના સ્થળોએ આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

નવસારીમાં બે ડઝન ગામોને અપાયુ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગીર, સોમનાથ અને ભાવનગરમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ઘણા ગામોમાં વરસાદના કારણે વીજળી નથી. એનડીઆરએફની 15 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આમાંથી ચાર દક્ષિણ ગુજરાતમાં, ચાર વડોદરામાં, ત્રણ ગાંધીનગરમાં અને અમરેલી, પાલનપુર, મહિસાગરમાં એક-એક ટીમ મોકલવામાં આવી છે.

નદીઓ છલકાઈ રહી છે
રાજ્યના કટોકટી નિયંત્રણ વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો, વલસાડ અને નવસારી જિલ્લામાં ગુરુવારે સવારે મૂસળધાળ વરસાદ આવતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નદીઓ છલકાઈ રહી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે મૂસળધાર વરસાદના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ત્રણ ધોરીમાર્ગો સહિત 197 રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
