જાણો તમારા ઉમેદવારને: રાજુલાથી ભાજપના હિરાભાઈ સોલંકી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજુલાની સીટ પરથી ભાજપના હિરાભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. હિરાભાઈ સોલંકી વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં રાજુલાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે હિરાભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. તો હિરાભાઈ સોલંકી વિષે થોડુ જાણીએ. હિરાભાઈનો જન્મ 14 નવેમ્બર, 1964ના રોજ મુંબઇના અંધેરીમાં થયો હતો. હિરાભાઈના પિતાનું નામ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી હતું. તેમણે અંગ્રેજી માધ્યમમાં 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 1998માં પહેલી વખત હિરાભાઈએ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

હિરાભાઈ સૌ પ્રથમ ભાજપના ઉમેદવાર તરીકે વર્ષ 1998માં રાજુલા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને 30,105 મતોથી જીત્યા હતા. એ બાદ થયેલી વર્ષ 2002, 2007 અને 2012ની ચૂંટણી પણ તેઆ આ સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આથી ભાજપે ફરી તેમને આ સીટ પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે અને રાજુલાની સીટ પર પોતાની પક્ડને મજબુત કરી છે. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમને એક પુત્ર અને બે પુત્રી છે, તેમની પત્નીનું નામ શાન્તુબેન છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોતની વાત કરવામાં આવેતો તેમનું પોતાની માલિકીનું કેબલ નેટવર્ક, ટ્રાન્સપોર્ટ અને ખેતી છે. તેમની કુલ સંપત્તિ 35 કરોડની આસપાસ છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધીયો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ











Click it and Unblock the Notifications
