For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આદેશ પાલે કર્યો અર્જૂન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો

By Super
|
Google Oneindia Gujarati News

Arjun Modhwadia
અમદાવાદ, 01 ઑક્ટોબરઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. આદેશ પાલ દ્વારા માનહાનિનો દાવો કેસ કરવામાં આવ્યો છે. તેમણે આ કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અર્જુન મોઢવાડિયા દ્વારા મુખ્યમંત્રીને જે પત્ર પાઠવ્યો છે તેમાં અપશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કુલપતિ ડો. આદેશ પાલ દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં કલમ 202 હેઠળ તપાસ હાથ ધરવામા આવે તેવા આદેશ મેટ્રો કેસ દ્વારા આપવામાં આવ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિને પદેથી હટાવવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કુલપતિના ચારિત્ર્ય અને ગુનાઇત માનસ-પ્રવૃત્તિ અંગે આરોપો કર્યા હતા. તેમણે ભ્રષ્ટ પણ ગણાવ્યા હતા. તેમજ રાજ્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવા માટે તેમને કુલપતિપદેથી હટાવવા માગ કરી હતી.

અર્જુન મોઢવાડિયાના આ પ્રકારના પત્રથી ગિન્નાયેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. આદેશ પાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો છે.

English summary
Vice Chancelor of Gujarat University Dr. Adesh Pal has filed humiliation case agaisnt Cognress state President Ajrun Modhvadia in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X