દિલ્હી,પંજાબમાં ફ્રિ વિજળી મળતી હોય તો ગુજરાતમાં કેમ નહી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. ગઇ કાલે 800 કાર્યકર્તાઓનું જંમ્બો ચૂંટણી લક્ષી માળખુ જાહેર કર્યું હતુ. તેના બીજા જ દિવસે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કરીને ભાજપની સરકાર સામે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. ગઇ કાલે 800 કાર્યકર્તાઓનું જંમ્બો ચૂંટણી લક્ષી માળખુ જાહેર કર્યું હતુ. તેના બીજા જ દિવસે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કરીને ભાજપની સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફુકી દિધુ છે. ગુજરાતમાં ફ્રિમાં વિજળી આપવામ માટે આંદોલન કરવામાં આવશે. દિલ્હી અને પંજાબમાં જો વિજળી ફ્રિમાં આપી શકાતી હોય તો ગુજરાતમાં કેમ નહી? ગુજરાતમાં દેશની સૌથી મોઘી વિજળી મળતી હોવાનું કહિને આપ નેતાએ કહ્યું હતુ કે, અમે વિજળી માટે લડિશુ.

આ અંગે માહિતી આપત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ કે, 15 જુને વિજળી ફ્રિ મળવી જોઇએ તે મામલે જિલ્લા મથકોએ આવેદન પત્ર આપવામાં આવશે.16 થી 24 જૂન સુધી જનસંપર્ક કરવામાં આવશે. લોકો વચ્ચે વિજળી સસ્તી મળવી જોઇએ તે મામલે લોકોને જાગૃત કરવામાં આવશે. ભાજપ આ આંદોલન દરમિયાન જે જુલમ કરે તે સહન કરવાની અમારી તૈયારી છે. અને લોકોને પણ આંદોલનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યુ ંહતુ .












Click it and Unblock the Notifications
