ધરમપુરમાં પ્રમુખસ્વામી આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરાયુ, 500 વિદ્યાર્થી-વિદ્યાર્થીની રહી શકશે
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ છાત્રાલયમાં 500 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકશે. મુખ્યમંત્રીએ લોકાર્પણ કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં સારા સંસ્કારની ખૂબ જ જરૂર છે.

અહીં મુખ્યમંત્રીએ સંબોધતા જણાવ્યુ કે, સંસ્કારનો અભાવ હોય તો ગમે તેટલી સારી જિંદગી હોઈ તો તે બગડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ. આજે અનુભવવા પડતો સંઘર્ષ એ ઉજ્જવળ ભાવિનો રાજમાર્ગ બનશે. અહીં આવ્યા બાદ સંસ્કાર સાથે શિક્ષણ મળશે જેનાથી જીવન સુંદર બનશે.
મુખ્યમંત્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સંકુલમાં શિક્ષણ અને સંસ્કારની સાથે હવેથી અહીં જ રહીને ભણી શકાય તે માટે 300 દીકરા અને 200 દીકરીઓને છાત્રાલયની સુવિધા પણ મળશે. કોઈ કામ નાનું નથી. જે પણ કામ કરો તે નિષ્ઠાથી કરો.
અહીં મુખ્યમંત્રીએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ટ્રેડની મુલાકાત પણ લીધી સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.












Click it and Unblock the Notifications
