ગુજરાતઃ મા-બાપ જ બન્યા ભક્ષક, બે માસૂમ બાળકોની હત્યા કરી
ગુજરાતઃ મા-બાપ જ બન્યા ભક્ષક, બે માસૂમ બાળકોની હત્યા કરી
સુરતઃ કોરોના લૉકડાઉન વચ્ચે ગુજરાતમાં 2 માસૂમોની જિંદગી તેમના જ જન્મદાતાઓએ છીનવી લીધી. એક માસૂમનો જીવ તેના પિતાએ લીધો જ્યારે બીજાને તેની લાપરવાહ માએ રસ્તા પર છોડી દીધો. સંવાદદાતા મુજબ પહેલો મામલે સુરતના રેશમવાડા વિસ્તારનો છે. જ્યાં ઉર્વેશ શેખ નામનો વ્યક્તિ પોતાના ઘરમાં ઊંઘી રહ્યો હતો, ત્યારે જ કોઈ કારણસર તેની 8 મહિનાની બાળકો જોરજોરથી રોવા લાગી. જેના અવાજથી શેખની નિંદર ઉડી ગઈ. ગુસ્સામાં જ શેખે એવું કરી મૂક્યું જે પિતા માટે કલંકરૂપ હતું.
શેખે ત્યાં જ પોતાની દીકરીનો પગ પકડી તેને બેરહમીથી જમીન પર પટકીને મારી નાખી. બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને ઘટના સ્થળે જ મૃત્યુ પામી. મામલાની સૂચના મળવા પર પોલીસ ત્યાં પહોંચી અને શેખની ધરપકડ કરી લીધી.
બીજી ઘટના બનાસકાંઠાના ભાભર તાલુકાની છે. જ્યાં મેરા ગામ પાસે આવેલ કેનાલ પાસે નવજાત બાળક રસ્તા પર મળ્યું. જેને જોઈ સ્થાનિકોએ તરત પોલીસને જાણકારી આપી. પોલીસની પ્રાથમિક તપાસમાં માસૂમ બાળક મૃત હોવાનું સામે આવ્યું. બાદમાં તેના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે મોકલી આપવામાં આ્યો. આ માસૂમને મરવા માટે છોડી જનાર માતાની પોલીસ તલાશ કરી રહી છે.
સ્વામીના ટ્વીટથી કોંગ્રેસને મોકો, પત્રકારની ધરપકડ પર ગોહિલે CMને ઘેર્યા