ઇશરત કેસ: CBI આજે IB અધિકારી સાથે પૂછપરછ કરશે

આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સાથે પહેલાં પણ સીબીઆઇ પૂછપરછ કરી ચૂકી છે. 15 જૂન 2004ના રોજ અમદાવાદની બહાર એક બનાવટી એંકાઉન્ટરમાં અન્ય ચાર લોકો સાથે 19 વર્ષીય ઇશરત જહાંની હત્યામાં રાજેન્દ્ર કુમારની કથિત ભૂમિકા સંબંધમાં સીબીઆઇ અમદાવાદ ઓફિસમં ફરી એકવાર પૂછપરછ કરશે. સીબીઆઇએ દાવો કર્યો છે કે કાવતરામાં મણિપુર-ત્રિપુરા કેડરના 1979 બેચના આઇપીએસ અધિકારી રાજેન્દ્ર કુમારની કથિત સંલિપ્તતા અંગે તેમની પાસે પૂરાવા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આઇબીના વિશેષ નિર્દેશક પોતાના બચાવમાં દાવો કર્યો છે કે તેમને જે ગુપ્ત ઇનપુટ આપ્યા હતા અને જેની પરાકાષ્ઠા એંકાઉન્ટરમાં થઇ હતી તે યોગ્ય હતી અને ઇનપુટ આપવાન અર્થ એ નથી કે તેમને પોલીસને મુઠભેડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
