જસદણના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધોઃ વિજય રૂપાણી
જસદણના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધોઃ વિજય રૂપાણી
જસદણઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્રણ રાજ્યોના પરિણામ પછી કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં અનેક જૂઠાણાંઓનો પ્રચાર કરતી હતી. સામ, દામ, દંડ, ભેદ અપનાવવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો હતો પણ જનતાએ 20 હજારની નજીકની લીડથી કુંવરજીભાઈને જીતવ્યા છે. જે દેખાડે છે કે આ જીત ભારતીય જનતા પાર્ટીના ગઢની જીત છે. બધાએ ભેગા થઈ કમળ ઉપર મતદાન કર્યું છે. ભાજપ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીમાં બધી 26 સીટ પર જીતશે તેવા આ સંકેત છે. કોંગ્રેસના કાર્યકરો ડુંગળીના હાર પહેરીને મતદાન કરવા ગયા હતા છતાં ખેડૂતો ભાજપ સાથે ઉભા રહ્યા અને કુંવરજીભાઈને ચૂંટણી બતાવ્યા. તમામ લોકોએ ભાજપ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને સ્વીકારી છે.

વધુમાં કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોના નામે જૂઠા વાયદાઓ કર્યા હતા. આજે પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ વધુ મજબૂત થયો છે. ત્રણ રાજ્યોની જીત પછી ઉત્સાહના અતિરેકમાં કોંગ્રેસના કેટલાય કાર્યકરોએ વાણી વિલાસ કર્યો હતો અને જનતાએ આસરે 20 હજાર મતથી ભવ્ય વિજય અપાવી જનતાએ કોંગ્રેસનું સ્થાન નક્કી કરી દીધું છે. આગામી લોકસભા ચૂંટણીમાં તમામ 26 લોકસભા ચૂંટણી જનતાના સહકાર અને પ્રેમથી અમે જીતીશું તેવો પૂર્ણ વિશ્વાસ છે. વધુમાં કહ્યું કે ખેડૂતોના નામે કોંગ્રેસ જે રાજકારણ કરતી હતી તેને ખેડૂતોએ પણ સ્વીકરી નથી અને ભાજપને આવકાર આપ્યો છે. ત્યારે હું એમ માનું છું કે ખેડૂતોને ભરમાવવા માટે ખેડૂતોના નામે કોંગ્રેસ જે સત્તા મેળવવા કરસાં રચી રહી છે તેનો પર્દાફાશ થયો છે.
વધુમાં રૂપાણીએ કહ્યું કે આ ચૂંટણીના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધો છે અને સૌરાષ્ટ્રના લોકો ભાજપને સાથ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાનો જસદણ સીટના મતદારોએ 19985 મત આપી ભવ્ય વિજય અપાવ્યો છે. કુંવરભાઈ બાવળિયાને 90268 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા છે. જણાવી દઈએ કે કુંવરભાઈ બાવળિયા કેન્દ્રીય મંત્રી છે અને નાકિયા જિલ્લા પંચાયતના એક સભ્ય હતા ત્યારે બાવળિયાનું પ્રભુત્વ અને મતક્ષેત્રમાં લોકોને બાવળિયાથી અપેક્ષા હોય જીત અપાવી છે.
આ પણ વાંચો- જસદણ પેટા ચૂંટણીઃ નાકિયાને ન મળ્યો અવસર, કુંવરજીભાઈ બાવળિયાની જીત
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
