સંઘ પરિવાર અને ભાજપે મારી છબી બગાડવાનો પ્રયાસ કર્યો છે: જીજ્ઞેશ મેવાણી
ભીમા કોરેગાંવ હિંસા અને તે પછી દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પર થયેલા કેસ અંગે જીજ્ઞેશ મેવાણીએ આજે સ્પષ્ટતા આપી છે. જાણો આ અંગે વિગતવાર અહીં.
ભીમા કોરેગાંવ હિંસામાં ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ દાખલ થતા ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ શુક્રવારે એક પ્રેસવાર્તા કરીને જણાવ્યું છે કે સંઘ પરિવાર અને ભાજપ મારી છબીને બગાડવાનો "ચાઇલ્ડીશ" પ્રયાસ કર્યો છે. આ બધું ગુજરાતના પરિણામોના કારણે થઇ રહ્યું છે. સાથે જ તેમને એમ લાગે છે કે 2019માં પણ તે જીતી નહીં શકે તે ભય જોઇ જતા તેમણે આવો પ્રયાસ કર્યો છે. વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે મારા ભાષણમાં એક શબ્દ પણ તેવો નહતો જે ઉશ્કેરણી જનક હોય. મને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મારા ભાષણનો કોઇ પણ ભાગ તેવો ભડકાઉ નહતો. વધુમાં જીજ્ઞેશ કહ્યું કે જ્યારે હિંસા થઇ ત્યારે હું ત્યાં હાજર નહતો. ના જ મેં બંધમાં ભાગ લીધો છે. સાથે જ જીજ્ઞેશ કહ્યું કે મારું આખું ભાષણ નેટ પર છે તેને કોઇ પણ સાંભળીને નક્કી કરી શકે છે કે મેં તેમાં કંઇ અયોગ્ય નથી કહ્યું. તે પછી પણ મારી પર કેસ કરી દેવાનું કારણ મને સમજાતું નથી.

જીજ્ઞેશ કહ્યું કે હું વ્યવસાયે વકીલ છું અને હંમેશા કાનૂનના દાયરામાં રહીને જ કામ કરું છું. મેં મારા જીવનમાં ક્યારેય કાનૂન બગાડવાનું કામ નથી કર્યું. વધુમાં મેવાણીએ કહ્યું કે પ્રજા દ્વારા હું ચૂંટાઇને આવેલા પ્રતિનિધિ છું. તેમ છતાં મારી જોડે આ રીતનું વર્તન થઇ રહ્યું છે. જે જોતા તમે અંદોજો લગાવી શકો છો કે દેશમાં ગરીબો, મજૂરો અને દલિતો સાથે શું થતું હશે? જીજ્ઞેશે કહ્યું કે જે ગુજરાતમાં ભાજપ 150 સીટોની વાતો કરતું હતું ત્યાં તેને 99 સીટો જ મળી. મેં ગુજરાતમાં તેનું ધમંડ તોડ્યું છે. મારો પ્રોફાઇલ સતત વધતો જોઇને હવે જ્યારે 2019માં ભાજપને મારાથી ખતરો દેખાઇ રહ્યો છે ત્યારે તે મને ટાર્ગેટ કરી રહી છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
