'હર ઘર તિરંગા' કાર્યક્રમ માટે મંત્રી જીતવ વાઘાણી ભાવનગર અધિકારીઓ સાથે કરી બેઠક
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતના મત વિસ્તારમાં આગામી તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનાર "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીઓ સ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના મત વિસ્તારમાં આગામી તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનાર "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતુ.

દેશ આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે પ્રત્યેક નાગરિકના મનમાં આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આહવાન પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પણ શહેરી અને ગ્રામીણ કક્ષાએ 1 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવનાર છે ત્યારે 13 ઓગસ્ટના રોજ ભાવનગર શહેરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાશે તદુપરાંત જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઔદ્યોગિક સ્થળો, વેપારી ગૃહો, સરકારી- ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ, આંગણવાડીઓ, સહકારી સંસ્થાઓ સહિત તમામ સાર્વજનિક સ્થળો પર પણ તિરંગો ફરકાવવામાં આવશે, ભાવનગરના વિવિધ બાગ-બગીચાઓ શણગારવામાં આવશે અને શાળા-કોલેજોમાં રંગોળી સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓ જેવી અનેક સ્પર્ધાઓ પણ યોજાશે.












Click it and Unblock the Notifications
