આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ, એસટી નિગમ 195 બસો દોડાવશે
જૂનાગઢમાં આવતીકાલ 11 ફેબ્રુઆરીથી ઐતિહાસિક મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગિરનારની તળેટીમાં પાંચ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મેળામાં લાખો ભક્તો ઉમટી પડશે.

ભક્તોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમે 195 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. નિગમ દ્વારા આ મેળા દરમિયાન અંદાજે 7800 જેટલી ટ્રિપ્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
એસટી વિભાગના આ આયોજનથી અંદાજે 3.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિવહનની સરળતા રહેશે. આ મિનિ કુંભ મેળામાં ભીડને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે 80 જેટલી લોકલ બસો સતત દોડશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો માટે પણ 115 એક્સપ્રેસ બસોની વ્યવસ્થા કરાઈ છે.
મુસાફરોની સલામતી માટે તમામ એસટી બસોનું 24 કલાક જીપીએસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ વર્ષે મેળો વધુ ભવ્ય હોવાથી પરિવહન સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
