Gujarat Assembly elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલને આપી આ ચેલેન્જ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ ગુજરાતના ભરૂચમાં જનતાને સંબોધિત કરી હતી.
Gujarat Assembly elections 2022 : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ ગુજરાતના ભરૂચમાં જનતાને સંબોધિત કરી હતી. અરવિંદ કેજરીવાલે મંચ પરથી ગુજરાતની સાડા છ કરોડ જનતાને સલામ કરી ગુજરાતના ભરૂચમાં દિલ્હીની શાળાઓનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે, ગુજરાતમાં શાળાઓની હાલત ખરેખર ખરાબ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પડકાર ફેંક્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 6,000 સરકારી શાળાઓ છે, જે બંધ કરી દેવામાં આવી છે. અન્ય ઘણી જર્જરિત હાલતમાં છે. લાખો બાળકોનું ભવિષ્ય ખોરવાઈ ગયું છે. અમે આ ભવિષ્યને બદલી શકીએ છીએ. જે રીતે અમે દિલ્હીમાં કર્યું. મેં શાળાઓ બદલી છે.
તેમણે ગુજરાતના તેમના સમકક્ષ ભૂપેન્દ્ર પટેલને પણ પડકાર ફેક્યો હતો. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાતમાં પરીક્ષાઓ દરમિયાન પેપર લીકનો વિશ્વ વિક્રમ બનાવી રહી છે. હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પેપર લીક થયા વગર પરીક્ષા લેવાનો પડકાર ફેંકુ છું.
કેજરીવાલે લોકોને આગળ જણાવ્યું હતું કે, અમને એક તક આપો. જો હું આ પ્રસંગે શાળાઓમાં સુધારો નહીં કરું, તો તમે મને કાઢી મૂકી શકો છો. દિલ્હીમાં 4 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાંથી દિલ્હી સરકાર સંચાલિત શાળાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનો દાવો કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અમીર અને ગરીબના બાળકો એકસાથે અભ્યાસ કરે છે. આ વખતે દિલ્હીમાં પાસ થવાની ટકાવારી 99.7 ટકા છે.
'હું સાડા છ કરોડ લોકો સાથે સંબંધ બનાવવા આવ્યો છું'
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, હું તમને જણાવવા આવ્યો છું કે, કેજરીવાલ ખૂબ જ લાગણીશીલ પણ છે, જે પોતાના દિલથી સંબંધ બનાવે છે. જીવન પણ એ સંબંધને ભજવે છે. હું આજે સાડા છ કરોડ લોકો સાથે સંબંધ બનાવવા માટે આવ્યો છું. મને રાજનીતિ નથી આવડતી, મને ગંદી રાજનીતિ આવડતી નથી, ચોરી કરતા નથી આવડતી, મને ભ્રષ્ટાચાર બિલકુલ આવડતો નથી.
હાલમાં જ ભરૂચ સ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) તથા આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. બંને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ ગુજરાતના સ્થાપના દિવસના રોજ ભરૂચ નજીક વાલિયા ખાતે આદિવાસી સભાને સંબોધિત કર્યું હતું.
આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તે શાસક પક્ષ ગુજરાત ભાજપનો જમીન વ્યવહારમાં ભ્રષ્ટાચાર અને આરોગ્ય અને શિક્ષણના મુખ્ય ક્ષેત્રોમાં કેવી રીતે નિષ્ફળ ગયો છે, તેનો પર્દાફાશ કરશે. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા, AAP નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી મે ના મધ્યભાગથી ગુજરાતના વિવિધ ભાગોની વારંવાર મુલાકાત લેશે.
ઇશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજગુરુ, ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય જેઓ તાજેતરમાં AAP માં જોડાયા હતા, તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ પક્ષના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદના બે શહેરોની સમકક્ષ ગામડાની પશુપાલનની જમીન અને પડતર જમીન હડપ કરી છે. રાજગુરુએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સાત વર્ષમાં સરકારી જમીન ખાનગી પક્ષોને સોંપવા અંગે નિવૃત્ત SC ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ દ્વારા સ્વતંત્ર તપાસની માગ કરીએ છીએ.