અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે
આદ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે ભાજપ, કોગ્રેસ અને આપના નેતાઓના ગુજરાત પ્રવાસ વ
આદ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે ભાજપ, કોગ્રેસ અને આપના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. કેજરીવાર આજે મહેસાણાં તીરંગા યાત્રાના સમાપન કાર્યક્રમાં હાજરી આપશે. કેજરીવાલ આ પહેલા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો પ્રવાસ કરી ચૂકયા છે ત્યારે આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાની છે. ગુજરાતમાં આપ દ્વારા છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે પણ ગઢબંધન કર્યુ છે. છોટુ વાસાવાનું આદિવાસી પટ્ટામાં પ્રભૂત્વ છે. ત્યારે આપને આદિવાસી મતો મળવાની શક્યતા પણ વ્યક્ત કવરામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં પણ ઇન્દ્રનિલ જેવા નેતાનો સાથ મળ્યો છે. આમ આપને ગુજરાતના તમામ ઝોનમાં પોતાની છાપ છોડવા માંગ છે. તે કોઇ એક વસ્તાર પુરતી સમિતિ રહેવા નથી માંગતા
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા પણ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને ગુજકાતની શિક્ષણ અને આરોગ્યની નીતિ પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ બપોરે 3 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે. ત્યાંથી મહેસાણા જવા માટે રવાના થશે. સાંજે 5 વાગે મહેસાણા જૂના બસસ્ટેન્ડ પાસેથી તીરંગા યાત્રાનો પ્રરંભ કરશે. ત્યાંથી અમદાવાદ પરત ફરીને દિલ્હી જવા રવાના થશે.












Click it and Unblock the Notifications
