કચ્છમાં ભેદી બિમારીથી મોતનો આંકડો પહોંચ્યો 16, આરોગ્ય તંત્રમાં દોડધામ
કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ ભેદી તાવથી માત્ર છ દિવસમાં જ 16 લોકોના મોત નીપજ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે.
આરોગ્ય વિભાગે 25 જણની ટીમ કચ્છ મોકલી છે, જે ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબડાસા તાલુકામાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરુ કરી દેવાયું છે.

આરોગ્ય અધિકારી ફુલમાલીએ જણાવ્યું કે, અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે, બીમારીથી ડરશો નહીં. જો કોઈપણ પ્રકારનો તાવ કે શરીરમાં અજુગતી અનુભૂતિ થાય તો તુરંત આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવો. તંત્ર કોઈપણ વ્યક્તિને આઇસોલેટ નથી કરવાના. ફક્ત દર્દીની તપાસ કરવામાં આવશે અને અન્ય વ્યક્તિને આ બીમારી ન થાય તે મુજબની જરૂરી તકેદારી લેવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે લોકોના મોત થયા છે તેમાંથી જે 11 મૃતકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ઘણાં બાળકોમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત પણ કેસ જોવા મળ્યાં. જો કે, ઘણાં મૃતકોના અગ્નિસંસ્કાર થઈ ગયાં હોવાથી જે-તે કુટુંબીજનો સાથે વાતચીત કરીને મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કરાયો છે. પરંતુ આ 7 ગામોની અંદર દરેક જગ્યાએ લગભગ 600 જેટલાં ગામો છે, જેની તપાસ કરી. તપાસ કરતાં 31 જેટલાં કેસ મળ્યાં જે તાવના હતાં.
આ તાવના કેસમાંથી 8-9 કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે અને બીજા પણ નવા કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે. જેનાથી જાણકારી મળે કે, જે વરસાદ બાદ પરંપરાગત રોગ થતા હોય છે, તે જ છે કે અન્ય કોઈ બીમારી જાણવા મળે છે કે કેમ તે માટે પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
લખપત પહોંચેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવકુમાર સિંહે કહ્યું કે, મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે, જેનાથી તાવ ન્યુમોનિયા છે કે કંઈ બીજા કારણે તાવ આવ્યો છે તેની જાણ થઈ શકે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું તટસ્થ કારણ ખબર પડશે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કચ્છમાં ગણતરીના દિવસોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલાં મે સરકારી તંત્રનું ધ્યાન દોર્યુ હતુ. જ્યારે આ રોગની શરુઆત થઈ હતી અને ફક્ત બે મોત થયા હતા ત્યારે સરકાર સાથે જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યુ હતુ પરંતુ કોઈ જ ગંભીરતા ન લેવાતાં ગણતરીના દિવસોમાં કચ્છ જિલ્લામાં આટલા લોકોના મોત થયા છે. દુઃખ એ વાતનુ છે કે, વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનુ પાણી પણ હલ્યુ નથી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
