કચ્છમાં ફેલાયેલા રહસ્યમય તાવથી અત્યાર સુધી 17ના મોત, સેમ્પલ પૂના મોકલાયા

Kutch Fever: કચ્છમાં વરસેલા અતિ ભારે વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે. આ જિલ્લામાં ફેલાયેલા ભેદી તાવના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. આ રહસ્યમય રોગને કારણે પ્રથમ મૃત્યુ ગત 3 સપ્ટેમ્બરના રોજ લખપતના ભેખડો ગામમાં થયું હતું, ત્યારબાદ અબડાસા તાલુકાના લખપતમાં ભેદી રોગચાળાથી મૃત્યુનો સિલસિલો શરૂ થયો હતો.

મળતી માહિતી મુજબ, અબડાસા તાલુકાના ભરાવાંઢ ગામમાં છેલ્લા 24 કલાકમાં પિતા-પુત્ર સહિત 3 લોકોના મોત થયા છે. ભરાવાંઢ ગામમાં આ રહસ્યમય રોગથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. તે બધાને તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી.

Kutch Mysterious Fever

આરોગ્ય અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય કમિશનર કચ્છ દોડી આવ્યા હતા. જામનગર અને બોટાદમાંથી 2 આરોગ્ય વિભાગની ટીમ કચ્છ મોકલવામાં આવી છે. નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

ગુજરાત સરકારે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાઈરોલૉજીને પેથોજેન્સ, ક્રાઈમિયન-કોંગ-એમોરહેજિક ફીવર, સ્ક્રબ ટાઈફસ, ચાદીપુરા વેસીક્યુલોવાઈરસ, જાપાનીઝ એન્સેફાલીટીસ અને પ્લેગ માટેના નમૂનાઓનું પરીક્ષણ કરવા વિનંતી કરી છે.

આરોગ્ય અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય કમિશનર કચ્છ દોડી આવ્યા હતા. જામનગર અને બોટાદમાંથી 2 આરોગ્ય વિભાગની ટીમ કચ્છ મોકલવામાં આવી છે. નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X