વિસાવદર પાસે વિફરેલી સિંહણે ૩ ખેડૂતો પર કર્યો હુમલો
વિસાવદર પાસે વિફરેલી સિંહણનો ૩ ખેડૂતો ઉપર હુમલો કરતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વ્રારા બચાવવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે જંગલની બોર્ડર નજીક જ આવેલા ખાંભા ગીર ગામે આજે સવારે જંગલમાંથી ધસી આવી એક ગુસ્સાયેલી સિંહણે બે ખેડૂત અને એક ગોવાળ ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી મુક્યા હતા.આ ઘટનામાં રાજભા ઝાલા ઉ.૨૫, વલ્લભભાઈ બુટાણી ઉ.૫૫ અને જેન્તી કપુરીયા ઉ.૪૫ ને સિંહણે હાથે પગે નહોર ભરાવી ઘાયલ કરી દેતા હાલ આ ત્રણેય ઇજાગ્રસ્તોને બે ૧૦૮ ની ટિમ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તના કહેવા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક જ સિંહણે આવી તેમના ઉપર વારાફરતી હુમલો કર્યો હતો. ઘટનાના પગલે ગ્રામજનો અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને બચાવવા દોડેલી ૧૦૮ ના ડોકટર સાહિલ રાતળીયા, સોહિલ ધડુક અને પાયલોટ ભરત ઝાલા, વિજય લાગડીયા એ સરપંચ અને ગ્રામજનોની મદદથી સિંહણને દૂર હડસેલી રેસ્ક્યુ કર્યું હતું. હાલ તમામ ઇજાગ્રસ્તો ભયમુક્ત છે. ઘટના પાછળનું કારણ જાણવા માટે વનવિભાગે સિંહણને પકડવા જહેમત ઉઠાવી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
