Lok Sabha Election 2024: ભાજપને બીજો ઝટકો, હવે ભીખાજી ઠાકોરે કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર
Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપને આજે બે મોટા ઝટકા લાગ્યા છે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
ભાજપના જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે, જોકે તેમણે ચૂંટણી ન લડવાનું કારણ આપ્યું નથી.
હવે આ બંને બેઠકો પર ભાજપે નવા ઉમેદવારોની પસંદગી કરવી પડશે. હજુ પણ સંભવતઃ એક-બે બેઠકો બદલવાની વાત ચાલી રહી છે.

આ અગાઉ વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે જાહેરાત કરી છે કે, તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું જણાવ્યું કે, તે અંગત કારણોસર 2024ની લોકસભા ચૂંટણી લડવા ઇચ્છુક નથી.
વડોદરા લોકસભા બેઠક માટે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાં ભાજપમાં વિરોધ શરૂ થયો છે. ભાજપના નેતા જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટના નામનો વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તેમના નામનો વિરોધ કરતા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ભાજપ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું, કારણ કે હવે તેને બે બેઠકો માટે નવા ઉમેદવારો પસંદ કરવાના રહેશે.












Click it and Unblock the Notifications
