For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો દાહોદ સીટ પર ફરી ભાજપ જીતી શકશે?

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો દાહોદ સીટ પર ફરી ભાજપ જીતી શકશે?

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલ દાહોદ સિટ 1957માં અસ્તિત્વમાં આવી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તેવિયાડ વચ્ચે ટક્કર થઈ હતી. જશવંતસિંહ ભાભોરે ડૉ. પ્રભાબેન તેવિયાડને 230,354 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં દાહોદ સીટ પર ભાજપનો વોટશેર +20.83 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -15.71% ટકાથી ઘટ્યો હતો. ભાજપના 50 વર્ષીય ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને 511,111 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તેવિયાડએ 280,757 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

આ જીત સાથે જ જસવંતસિંહ ભાભોર પહેલી વખત દાહોદથી સાંસદ બન્યા. દાહોદ સીટ પર સાંસદ જસવંતસિંહ ભાભોરની આ પ્રથમ ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 11 ડિબેટમાં ભાગ લીધો પરંતુ પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં તેમણે 138 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 90% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી થોડી વધુ છે.

જો દાહોદના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952માં આ મતવિસ્તાર અસ્તિત્વમાં નહોતો, 1957માં કોંગ્રેસના જાલીજભાઈ ડિંડોળ, 1962માં સ્વતંત્ર પાર્ટીના પીએચડી ભીલ ચૂંટાઈ આવ્યા હતા. 1962માં જ ફરી સ્વતંત્ર પાર્ટીના હિરાભાઈ બારિયા, 1967 અને 1971માં કોંગ્રેસના ભાલજીભાઈ પરમાર તથા 1980, 1984, 1989, 1991, 1996 અને 1998માં કોંગ્રેસના ડામોર સોમજીભાઈ પૂંજાભાઈ ચૂંટાયા હતા, જ્યારે 1999 અને 2004માં ભાજપના બાબુભાઈ ખિમાભાઈ કટારા ચૂંટાયા હતા. 2009માં કોંગ્રેસના ડૉ. પ્રભા કિશોર ત્રિવેદી અને 2014માં ભાજપના જસવંતસિંહ ભાભોર ચૂંટાઈ આવ્યા.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

હવે જો દાહોદ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં દાહોદ સીટ પર કુલ 1,411,765 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 712,184 અને મહિલા મતદાતા 699,581 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 469,459 પુરુષ મતદાતાઓ અને 430,922 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 900,381 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે દાહોદ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,436,636 છે જેમાંથી 91.34% વસ્તી ગ્રામીણ જ્યારે 8.66% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 2.11 ટકા એસસી અને 75.07 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે આણંદ, માત્ર 3 વખત જ જીત્યું ભાજપ

English summary
lok sabha elections 2019: how is mood of dahod lok sabha seat, read a report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X