Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહાશિવરાત્રીને ધ્યાનમા રાખીને અમદાવાદથી ઓખા વચ્ચે ટ્રેનની બે ટ્રીપ

મહાશિવારાત્રીને ધ્યનામાં રાખીને અમદવાદ સાબરમતીથી ઓખા વચ્ચે રોજ રેલ્વે દ્વારા બે ટ્રીપ મારવામાં આવશે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહાશિવરાત્રી પર્વ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ઓખા અને અમદવાદ સાબરમતી (જેલ બાજુ) વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

train

ટ્રેન નંબર 09454/09453 ઓખા-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09454 ઓખા - સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી, 2023 (શુક્રવાર) ના રોજ રાત્રે 23:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:35 વાગ્યે સાબરમતી પહોંચશે.

ટ્રેન નંબર 09453 સાબરમતી - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 16 ફેબ્રુઆરી, 2023 (ગુરુવાર) ના રોજ સાબરમતીથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09453 અને 09454 માટે બુકિંગ 12 ફેબ્રુઆરી, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X