મહેસાણા: દુધસાગર ડેરીમાં ઘી કાંડથી 37.53 કરોડનું નુકશાન, પૂર્વ ચેરમેનની ધરપકડ
મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળનો મામલે બહાર આવ્યો હતો. ડેરીના ઘીમાં પામોલિન તેલ મિક્સ કરતા ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન થયું હતુ. ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમ
મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળનો મામલે બહાર આવ્યો હતો. ડેરીના ઘીમાં પામોલિન તેલ મિક્સ કરતા ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન થયું હતુ. ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો. આ મામલે ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર ફરાર હતા.
Recommended Video


મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ કેસ મામલે ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. ઘી માં ભેળસેળ કરી ડેરીને 37.કરોડ 53 લાખનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ મામલે આશાબેન ઠાકોર ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ડેરી ના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ દ્વારા 10 દિવસ ના રિમાન્ડ માંગ્યા હતા. સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે આખરે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.












Click it and Unblock the Notifications
