કોગ્રેસના ધારાસભ્યો સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ, વિધારનસભાં વિરોધ પ્રદર્શન કરતા નિર્ણય
ગુજરાત વિધાનસભાની સત્રને સમાપ્ત થવામાં બે દિવસ રહ્યા છે ત્યારે કોગ્રેસના ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્ર સમાપ્તી સુધી સસ્પેડ કરવામાં આવ્યા હતા. કોગ્રેસ દ્વારા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વેલમાં આવીને વિરોધ પ્રદર્શન શરુ કરી દિધુ હતુ. કોગ્રેસના સભ્યો દ્વારા મોદી-અદાણીના સત્રોચ્ચાર કર્યા હતા. અને પ્લે કાર્ડ દેખાડીને નીચે બેસી ગયા હતા.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કોગ્રેસના સભ્યોને સતત ચેતવણી આપીને પોતાની જગ્યાએ બેસી જવા માટે કહેવામાં આવ્યુ તેમ છતા વિરોધ પ્રદર્શન ચાલુ રાખલતા કોગ્રેસના સભ્યોને એક દિવસ માટે ગૃહમાથી સસ્પેન્ડ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
કોગ્રેસ દ્વારા રાહુલ ગાઁધીને સુરત કોર્ટમાં માનીહાનીના કેસમાં બે વર્ષની સજા પડ્યા બાદ લોકસભાના સભ્યપદેથી સસ્પેડન કરી દેવામાં આવતા સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોગ્રેસ દ્વારા અદાણીના નામે ભાજની સરકારનો વિરોધ કર્યો હતો. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ સંસદીય મંત્રી ઋષીકેશ પટેલે કોગ્રેસના સભ્યો દ્વારા ગૃહમાં કરવામાં આવેલા વિરોધ તેમજ કાળા કપડા પહેરીને આવતા તેમની સામે કાર્યવાહી કરવા માટે નીયમ 52 મુજબ કાર્યવાહી કરવા માટે ઠરાવ લાવામાં આવ્યો હતો. જેમા કોગ્રેનસા સભ્યોને સત્ર સમાપ્તી સુધી સસ્પેડ કરવાની માગ કરવામાં આવી હતી.
ઋષીકેશ પટેલ દ્વારા લાવામાં આવેલા આ ઠરાવને મંત્રી બળવંતસિહ રાજપુત અને રાઘવજી પટેલે સમર્થન આપ્યુ હતુ. અને ગૃહમાં જનતાના પ્રશ્નોની ચર્ચા કરવી જોઇેએ તેમજ અન્ય સામાન્ય રાજ્યની જનતાના હિતના પ્રશ્નોની ચર્ચા થવી જોઇએ ત્યારે વિરોધ કરીને સમય બગાડતા હોવાથી તેમને સત્ર સમાપ્તી સુધી સમાપ્તી કરવાની માગને સમર્થન આપવામાં આવ્યુ હતુ. જેને ગૃહમાં સર્વસહમતીથી ઠરાવને મંજુર કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
