સિંચાઈ કૌભાંડઃ ધારાસભ્યએ 35 લાખની લાંચ લીધી હતી, એક દિવસના રિમાન્ડ મંજૂર
સિંચાઈ કૌભાંડઃ ધારાસભ્યએ 35 લાખની લાંચ લીધી હતી
મોરબીઃ મોરબી જિલ્લાનું કરોડોનું સિંચાઈ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સબરિયા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સબરિયાની ધરપકડના વિરોધમાં આજે મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત રાજ્યના અન્ય કોંગી ધારાસભ્યોએ પોલીસ સ્ટેશન સામે પ્રતિક ધરણા શરૂ કર્યા.

પોલીસ મુજબ પરસોતમ સબરિયાએ વિધાનસભા કે અન્ય કોઈપણ જગ્યાએ સિંચાઈ કૌભાંડનો મુદ્દો ન ઉઠાવવાના બદલામાં સિંચાઈ યોજનાના કૌભાંડીઓ પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ માગી હતી, આખરે 35 લાખમાં મામલો સેટલ કર્યો હતો, જેમાંથી 10 લાખ રોકડા વચેટિયા મારફતે પરસોતમ સબરિયાને આપવામાં આવ્યા હતા અને બાકીના 35 લાખ રૂપિયા ચેકથી ચૂકવવામાં આવ્યા હતા.
પરસોતમ સબરિયા ઉપરાંત પોલીસે એક વકીલ, આસિસ્ટન્ટ એન્જિનિયર, એક કોન્ટ્રાક્ટર અને અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, સિંચાઈ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હતું જેની કિંમત 20 કરોડ જેટલી છે. આ પ્રોજેક્ટને ગત નાણાકિય વર્ષમાં રાજ્ય સરકારે મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓને લાભ આપવા માટે લૉન્ચ કર્યા હતા.
તપાસ બાદ ધારાસભ્ય સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવી દઈએ કે સિંચાઈ કૌભાંડ મામલે પોલીસને ધારાસભ્યની ત્રણ ઓડિયો ક્લિપ પણ મળી આવી હતી. પોલીસે કોર્ટમાં ધારાસભ્યના ત્રણ દિવસના અને તેના મળિયાઓના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે કોર્ટે બંનેના એક-એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જેને પગલે ધારાસભ્ય બ્રિજેશ રમેરજા, મોહમદ પીરજાદા, નૌશાદ સોલંકી, લલિત કગથરા, ઋત્વિક મકવાણા સહિતના કોંગી નેાઓએ પ્રતિક ધરણા શરૂ કર્યા.
આ પણ વાંચો- 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી








Click it and Unblock the Notifications
