વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂટણી સભા કરશે. 32 નવેમ્બરના રોજ દાહોદ તથા વડોદરામાં જનસભાની સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કાની ચૂટણી પહેલા સૌરાષ્ટ્ર કચ્છ અને દ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂટણી સભા કરશે. 32 નવેમ્બરના રોજ દાહોદ તથા વડોદરામાં જનસભાની સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કાની ચૂટણી પહેલા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસ કર્યો હતો. અને જનસભા સંબોધીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.
આગામી દિવસોમાં મોદી બીજા તબક્કાની ચૂંટણી માટે પણ પ્રચાર કરશે. નોધનીય છે કે, 2017 ની ચૂંટણીની સરખામણીમાં નરેન્દ્ર મોદી દ્વારા ઓછી જનસભાને સંબોધવામાં આવી છે. મોદી મધ્ય ગુજરાતમાં પોતાના પ્રવાસની શરુઆત 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ અને વડોદરાથી કરશે. ત્યાર બાદ બીજા દિવસે 24 નવેમ્બરના રોજ તે પાલનપુર, દહેગામ અને અમદાવાદ ગ્રામ્યમાં સભાને સંબોધન કરશે.
ભારતીય જનતા પર્ટી દ્વારા બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે આજથી કાર્પેટ બોમ્બાર્ડીગની શરૂઆત કરી છે. આજે સમગ્ર ગુજરાતમાં ચાર રાજ્યના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ભાજપનુ રાષ્ટ્રીય સંગઠન અધ્યક્ષ જે.પી નડ્ડા, અમિત શાહ સહિતના પ્રદેશીક સંગઠન સાથે મળીને ચૂંટણી પ્રચાર કરશે.