વીંછીયાને અલગ તાલુકો બનાવવાની મોદીની જાહેરાત

આ પ્રસંગે તેમણે યુવાનો, રમત ગમત ક્ષેત્રે ગુજરાતને આગળ લાવવા અને રાજકોટ તથા જામનગર જિલ્લા માટે નવી જાહેરાતો કરી હતી. જેમાં વીંછીયાને અલગ તાલુકો બનાવવાની જાહેરાત પણ કરી હતી. તેમણે લોકોનો વિશ્વાસ કેળવવા જણાવ્યું હતું કે આપના સપનાં પૂરા કરવા માટે કોઇ કચાશ નહીં રાખું.
તેમણે પોતાના વાતની શરૂઆત સ્વામી વિવેકાનંદને યાદ કરીને કરી હતી. તેમણે જણાવ્યું કે '11 સપ્ટેમ્બર, 1893ના રોજ ભારતના એક યુવાને માંડ 20-22 વર્ષની વયે વિશ્વની ધર્મ પરિષદને હરાવી દેવાનું કામ કર્યું હતું. આ કામ ભારતના યુવાન સન્યાસી વિવેકાનંદે શિકાગોમાં કર્યું હતું. 100 વર્ષ પછી બીજી 9/11 આવી . તે સમયે અમેરિકાએ 9/11નું મહત્વ સમજ્યું હોત તો બીજી 9/11 ના આવી હોત.'
તેમણે જણાવ્યું કે તાજેતરમાં દેશના 12 રાજ્યોમાં 48 કલાક સુધી વીજળી ગઇ હતી. દુનિયા સામે આપણું ચિત્ર કેવું હશે તે સમજી શકાય. આખી દુનિયાએ આ મુદ્દે ભારતની ધોલાઇ કરી. 21મી સદીનું સપનું જોનાર ભારત 21મી સદીના દાયકા બાદ પણ અંધકાર યુગમાં જીવતું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. 60 કરોડ નાગરિકો વીજળી માટે વલખા મારતા ત્યારે ગુજરાતમાં વીજળીનો ચમકારો ચાલુ હતો. ગુજરાતમાં શક્ય હોય તો દેશમાં શા માટે ના બને? 120 કરોડનો દેશ ઑલિમ્પિકમાં રમવા જાય અને ઓછા મેડલ સાથે પાછા ફરે. કોંગ્રેસના અધ્યક્ષા ઇટાલી અને ભારત બંનેમાં ચૂંટણી લડી શકે એમ છે.
ભારત સરકારે એફડીઆઇનો નિર્ણય લીધો અને મીડિયાએ તેમને સિંઘમ ગણાવ્યા. પીએમ માત્ર 8 વર્ષમાં બે વાર સિંઘમ બન્યા છે. એક તો અમેરિકાના લાભાર્થે અને બીજું વિદેશની કંપનીઓને ભારતમાં ચણા મમરા વેચવાની પરવાનગી આપી. રાજકોટમાં કોઇ છત્રીનું કારખાનું ચલાવતું હોય અને ચીનની છત્રી વેચવાની પરવાનગી ભારત સરકાર આપે તો તમારું કારખાનું બંધ થઇ જશે. આ અંગે મેં ભારત સરકારને તેમ નહીં કરવા પત્ર લખ્યો હતો.
અમારી સરકાર આવશે તો અમે એક કરોડ લોકોને રોજગાર આપીશું. ભારત સરકારનો અહેલા જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં જેટલી રોજગારી મળી છે તેમાંથી 72 ટકા ગુજરાતે આપી છે બાકીના 28 ટકામાં આખું ભારત છે. આ સવાલ સફળતા નિષ્ફળતાનો નહીં વિશ્વાસ અને છેતરપિંડીનો છે.
મોદીની જાહેરાતો :
- સરકારી નોકરીમાં 25 વર્ષની મર્યાદા વધારી 28 વર્ષ અને 28 વર્ષથી વધારી 31 વર્ષ કરવામાં આવશે. અનુસૂચિત જાતીના લોકોને તેમની 5 વર્ષની છૂટ યથાવત રહેશે.
- યુવાનોને મળતી 1800ની શિષ્ય વૃત્તિ 2500 કરવામાં આવશે.
- ખેલાડીએને મળતા 1200 રૂપિયાની મદદ વધારી 2000 કરાશે.
- વ્યાયામ શિક્ષકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં મળતું 30નું ભથ્થયું વધારી 150 રૂપિયા કરવામાં આવશે. આ બધું જ ગુજરાતીઓ ખેલના મેદાનમાં આગળ વધે તે માટે કરવામાં આવશે.
રાજકોટ - જામનગર માટે જાહેરાતો :
- વીંછીયાને અલગ તાલુકો બનાવવા માટેની અરજી હતી. આગામી 26 જાન્યુઆરીએ વીંછીયા અલગ તાલુકા તરીકે કામ કરશે.
- રાજકોટ સુરત અને અમદાવાદ પૈકી રાજકોટને એફએસઆઇ ઓછી મળતી હતી. તેને એફએસઆઇમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
- જામનગરમાં 1 વત્તા 3ની મંજૂરી છે. હવે ત્યાં 1 વત્તા 4ની પરવાનગી આપવામાં આવશે. જેથી મધ્યમવર્ગના લોકોને મોટી રાહત થશે.
- આજે મારો જન્મદિવસ છે. મને જે શુભકામનાઓ પાઠવી તે અંગે આભાર. મારા બ્લોગમાં ત્રણ પત્રો મૂક્યા છે તે લોકોને જોઇ જવા મારી અપીલ છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
