For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી દશેરાના દિવસે ઉમેદવારો જાહેર કરી શકે

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 5 ઑક્ટોબર : ગુજરાતમાં ચૂંટણીઓની જાહેરાત થયાની સાથે જ કઇ બેઠકો પર કયા ઉમેદવારો ઉભા રહેશે તે માટેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોની ઉત્સુકતાની વચ્ચે નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાની બેઠકો માટેના ભાજપના ઉમેદવારોના નામની યાદી દશેરાએ જાહેર કરે તેવી શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 13 ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાના મતદાનની 87 બેઠકો માટેના ઉમેદવારોની યાદી દશેરાએ તેમજ 17 ડિસેમ્બરે યોજાનારા મતદાનની 95 બેઠકો માટેના ઉમેદવારોમી યાદી દિવાળીની આસપાસ જાહેર કરે એમ માનવામાં આવી રહ્યું છે.

કહેવાય છે કે નરેન્દ્ર મોદી ઉમેદવારોને છેલ્લી ઘડી સુધી અવઢવમાં રાખવા માંગતા નથી. આથી, 24 ડિસેમ્બરે જાહેર સભામાં રાવણ દહન કર્યા બાદ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે. આ કારણે ઉમેદવારોને પ્રચાર માટે લગભગ 48 દિવસનો સમય મળી રહેશે.

English summary
Modi could declare candidate name on Dussehra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X