જાસૂસી કાંડમાં નરેન્દ્ર મોદીએ તપાસના આદેશ આપ્યા
અમદાવાદ, 26 નવેમ્બર: ગુજરાત પોલીસ તરફથી એક મહિલાની જાસૂસી કરાવવાના મામલામાં ચારે તરફથી હુમલાનો સામનો કરી રહેલી નરેન્દ્ર મોદીની સરકારે હવે આ મામલે તપાસ કરાવવા માટે અમદાવાદ હાઇ કોર્ટની સેવાનિવૃત્ત મહિલા ન્યાયાધીશની અધ્યક્ષતામાં બે સભ્યોવાળા પંચની સમિતિ રચી છે.
ગુજરાત હાઇ કોર્ટે સેવાનિવૃત્ત જજ સુજ્ઞાબેન ભટ્ટ અને રાજ્યના સેવાનિૃત્ત વધારાના મુખ્ય સચિવ કે.સી. કપૂર આ તપાસ સમિતિના સભ્યો રહેશે. આ પંચ દ્વારા ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્યના નાણામંત્રી નિતિન પટેલે જણાવ્યું કે 'અમે એક પંચની રચના કરી છે જે યુવા મહિલાને સુરક્ષા પ્રદાન કરવાના આરોપોની તપસા કરશે.' ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે આ મુદ્દા પર જોરદાર પ્રહાર કર્યો છે અને ભાજપે તેમની ઉમેદવારી પર ફરી વિચાર કરવા અને સીબીઆઇ તપાસ બેસાડવાની માંગ કરી છે.
સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા સહિત મોદીના વિરોધી ગુજરાતના મુખ્યમંત્રીને ઘેરવાનો પ્રયાસ કરતા એવો આરોપ લગાવી રહ્યા છે કે મહિલાના ફોન કથિત ગેરકાનૂની રીતે ટેપ કરાવવામાં આવ્યા અને તપાસની આ જાહેરાતને નુકસાનની ભરપાઇ કરવાના પ્રયાસના રૂપે જોવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારના નિવેદન અનુસાર, 'મામલાના તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ રાજ્ય સરકારે વ્યાપક લોકહિત અને સત્ય સાબિત કરવા માટે આ મામલાની તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે.'
બીજી બાજુ, સોમવારે કોંગ્રેસ સહિત ચાર દળોના પ્રતિનિધિ અને સામાજિક કાર્યકર્તાઓએ આ મુદ્દા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જ્ઞાપન સોંપવામાં આવ્યો અને ન્યાયિક તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.