અમરત્વની કસોટીમાં સાધુનું મોત, શિષ્યને થઇ જેલ
બોટાદના એક ગામમાં એક સાધુની હત્યા કરવામાં આવી હતી. કારણ કે, તેણે કથિત રીતે એક શિષ્યને તેની અમરત્વની કસોટી કરવાનું કહ્યું હતું.
બોટાદના એક ગામમાં એક સાધુની હત્યા કરવામાં આવી હતી. કારણ કે, તેણે કથિત રીતે એક શિષ્યને તેની અમરત્વની કસોટી કરવાનું કહ્યું હતું. પોલીસ સમક્ષ હકીકત સ્વીકારતા, આરોપી શિષ્ય જેને 22 જાન્યુઆરીએ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, તેણે કહ્યું કે, તે ફક્ત તેના આધ્યાત્મિક શિક્ષકના વર્ષોના સખત ધ્યાનના પરિણામની પરીક્ષા કરી રહ્યો હતો.
પોલીસને રામદાસી ગુરુમોહનદાસ ઉર્ફે રમેશ અડાલીયાનો મૃતદેહ 20 જાન્યુઆરીએ કુવામાંથી મળ્યો હતો. સાધુએ 15 વર્ષ પહેલાં ધ્યાન કરવા માટે ભૌતિક વિશ્વનો ત્યાગ કર્યો હતો. તે બોટાદ જિલ્લાના ઢસા તાલુકાના ચોસલા ગામે હનુમાન મંદિર પાસે રહેતો હતો.
અડાલિયાના શિષ્ય નીતિન વડોદિયા તેમની સાથે રહેતા હતા. "એક દિવસ, સાધુએ વડોદિયાને કહ્યું કે, તેણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે અને વડોદિયા તેની પરીક્ષા કરી શકે છે. શિષ્યએ સાધુ પર માથા પર ટૂથપીક વડે હુમલો કર્યો જેનાથી તે તરત જ મૃત્યુ પામ્યા હતા. વડોદિયા ડરી ગયો અને તેણે પોતાના ગુરુના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. જો કે, તેણે આ કૃત્ય અંગે ગામમાં રહેતા તેના એક મિત્રને જણાવ્યું હતું.