બિપરજોય ધીમુ પડતા જ ચોમાસાનું સ્પીડ પકડશે, આ તારીખે ગુજરાતમાં એન્ટ્રી કરશે
બિપરજોય વાવાઝોડાએ દરિયામાંથી જમીન પર એન્ટ્રી કરતા જ ચોમાસાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, હવે ચોમાસુ ઝડપથી આગળ વધતુ જોવા મળશે.
દક્ષિણ-પશ્ચિમના ચોમાસા 8મી જૂને કેરળમાં દસ્તક દીધી છે. જો કે વાવાઝોડા બિપરજોયને કારણે ચોમાસુ રોકાયુ હતું અને આગળ નહોતુ વધી રહ્યું. હવે સારા સમાચાર એ છે કે ચક્રવાતી તોફાન બિપરજોયની અસર ધીમી પડતા જ ચોમાસુ ફરીથી ઝડપ પકડશે.

હવામાન વિભાગ અનુસાર, 18 જૂનથી ચોમાસું ફરી એકવાર વેગ પકડશે અને દક્ષિણના ભાગોમાં ઝડપથી આગળ વધશે. આ અંગે માહિતી આપતા IMD મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ કે, ચક્રવાતે મોનસુન સર્ક્યુલેશનથી પોતાને અલગ કર્યુ છે. હવે ચોમાસા પર તેની કોઈ અસર નહીં થાય અને ચોમાસું સામાન્ય ગતિએ આગળ વધશે.
બીજી તરફ બિપરજોય 17 જૂને નબળુ પડશે અને ભારતને પાર કરતા જ તેની અસર સંપુર્ણપણે સમાપ્ત થઈ જશે. ત્યારબાદ દેશમાં ચોમાસાનો સારો વરસાદ જોવા મળશે.
IMD એ જણાવ્યુ છે કે, ચોમાસું ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં 25 જૂને પહોંચશે અને ત્યારબાદ 30 જૂને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં પ્રવેશ કરશે.












Click it and Unblock the Notifications
