મોરબી રાજપૂત સમાજ દ્વારા ભણસાળીના પૂતળાનું કર્યું દહન
મોરબી રાજપૂત સમાજ દ્વારા સંજય લીલા ભણસાણીનું ફિલ્મ પદ્માવતીનો થયો વિરોધ. જાણો આ અંગે વિગતવાર અહીં
ફિલ્મ 'પદ્માવતી' ના કારણે શરૂઆતથી વિવાદમા રહેલા ડિરેક્ટર સંજય લીલા ભણસાળીએ ફરીથી લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. જોકે આ વખતે રોષને પરોક્ષ રીતે વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબીમાં રાજપૂત સમાજે ફિલ્મ 'પદ્માવતી'નો વિરોધ કર્યો હતો. રાજપૂત સમાજના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં રાણી પદ્માવતીના આપત્તિજનક દ્રશ્યોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર દેશમાં રાજપૂત સમાજ દ્વારા સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ 'પદ્માવાતી'નો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

મોરબી ખાતે રાજપૂત સમાજે શહેરના નેહરુ ગેટ ચોકમાં 'સંજય લીલા ભણસાળી હાય હાય, રાજપૂત એકતા ઝિદાંબાદ' સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાળી હંમેશાં તેમની ફિલ્મો સાથે વિવાદ લઇને આવતા હોય છે. રાજપૂત સમાજના જણાવ્યા મુજબ 'રામ લીલા' સમયે પણ એ ફિલ્મને કારણે રબારી સમાજ તથા રાજપૂતને લઇને વિવાદ થયો હતો. એ બાદમાં સંજયે તે નામો બદલવાની ફરજ પડી હતી. સંજય પોતાની ફિલ્મો હિટ જાય તે માટે આ પ્રકારના કામ કરે છે તેમ કહીને રાજપૂત સમાજે સંજય લીલા ભણસાળીનું પૂતળું બાળ્યું હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
