691 થી વધુ ખાદ્ય ચીજોના નમુનાઓ લેવાયા, ચકાસણી બાદ કરાશે કાર્યવાહી
ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહી, તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે.
ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહી, તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે. રાજ્યમાં વસતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન 691 થી પણ વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર દ્વારા લેવમાં આવ્યા છે. આ નમૂનાઓ ચકાસણી અને પૃથ્થક્કરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે તથા નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે
એચ. જી. કોશિયાએ ઉમેર્યું કે, તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકિંગ, સેમ્પ્લિંગ તથા સર્વેલેન્સ કામગિરીની સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગ્રુતિ અને ફૂડ બીઝનેસ ઓપરેટર્સ તથા આમ નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે અને ઓગષ્ટ માસ દરમિયાન કુલ 691 થી પણ વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે.

ખાદ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી
1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2022 દરમિયાન રાજ્યવ્યાપી ખાદ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં 239 નમુનાઓ લેવામાં આવ્યા છે, જે પૈકી 71 વનસ્પતી, 36 સિંગતેલ, 29 સરસીયું, 21 કપાસીયા તેલ, 27 પામતેલ, 19 સોયાબીન તેલ તથા 25 અન્ય નમુનાંઓ લેવામાં આવ્યા છે.
ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે
રક્ષાબંધનના પર્વ નિમિત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઇ બાબતે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી અને 239 નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી 70 ચાંદીના વરખવાળી મીઠાઇ, 112 કલરવાળી મીઠાઇ અને 57 માવાની મીઠાઇઓનો સમાવેશ થાય છે. વધુમાં સર્વે અંતર્ગત વિવિધ દાળ અને કઠોળ આનુષંગીક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે, જેમાં 224 નમુનાંઓ લેવામાં આવ્યા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
