ગુજ. સરકાર સફાઇ કામદારોને આપશે પુજારીની ટ્રેઇનિંગ

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓઇ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતના સફાઇ કામદારો અને માથે મેલું ઉપાડનાર વર્ગને સોલા ભાગવત પીઠ અને સોમનાથ સંસ્કૃત વિદ્યાપીઠમાં વૈદિક રીતે પુજારી બનાવવાની ટ્રેઇનિંગ આપવામાં આવશે.
અહેવાલ અનુસાર આ મામલે પહેલ કરતા સામાજિક ન્યાય વિભાગે 2013-14ના બજેટમાં 22.50 લાખની રાશિ નિર્ધારિત કરી છે. ગુજરાત સરકારનું આયોજન એ છે કે આ પ્રકારે દલિત વર્ગના લોકો એ હદ સુધી સક્ષમ થઇ જાય કે તેઓ મંદિરમાં પુજા પણ કરી શકે અને સાથે સાથે લગ્નવિધિ પણ કરાવી શકે.
ગુજરાત સરકારની આ પહેલને ભરપૂર સમર્થન મળી રહે તેવી આશા છે કારણ કે મોદી ખુદ ઓબીસી સમુદાયમાંથી આવે છે.












Click it and Unblock the Notifications
