હૈદ્રાબાદ બોમ્બ બ્લાસ્ટ પર નરેન્દ્ર મોદીએ ઉંડો શોક વ્યક્ત કર્યો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી: ગુરૂવારે હૈદ્રાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે આ બનાવ ખૂબ જ નિંદનીય કામ છે. આ ઘટના પર મને ખૂબ જ દુખ છે આ ઘટનામાં મૃત્યું પામેલા લોકોને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના ઘરવાળાઓને આ દુખ સામે લડવા માટે શક્તિ પુરી પાડે. દેશે અત્યારે એક થઇ આ દુખનો સામનો કરવાની જરૂરિયાત છે.
તો બીજી તરફ આ પ્રકારની શોક સંવેદના વડાપ્રધાન કાર્યાલયમાં આવી હતી. આ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે સરકાર તરફથી 50-50 હજાર અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સાંજે સાત વાગે હૈદ્રાબાદના દિલસુખ નગર વિસ્તારમાં શ્રેણીબદ્ધ બે બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં લગભગ 14 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર છે જ્યારે 50થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં દેશભરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. આ એક આતંકવાદી ધટના છે આ વાતની પુષ્ટિ ગૃહમંત્રાલય દ્રારા કરવામાં આવી છે.
બોમ્બ વિસ્ફોટ ટિફિન બોમ્બ હતો માટે કહેવામાં આવે છે કે આ ધમાકામાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ છે તેને આતંકવાદી અફઝલ ગુરૂની મોતનો બદલો લેવા માટે આ વિસ્ફોટ કરવ્યો છે. જો કે હજુ સુધી આ અંગે અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
