આજે નરેન્દ્ર મોદીની 62મી વર્ષગાંઠ, ચૂંટણી પ્રચારમાં વિતાવશે દિવસ
Gujarat
oi-KumarDushyant
By Kumar Dushyant
ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 62મી વર્ષગાંઠ છે. ઇ.સ. 2001ના વર્ષમાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્ય મંત્રી બન્યા હતા. વર્ષ 2007ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ત્રીજી વખત ચુંટાઇ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના જન્મ દિવસે તેઓ આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર ચૂંટણી માટેના પોતાના અભિયાનમાં વ્યસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સોમવારે વિવેકાનંદ યુવા સંમેલન માટે રાજકોટ જશે. જ્યાં તે 14 હજાર યુવાનોને સંબોધિત કરશે.