નરોડા પાટિયા કેસ : એક દોષિતને 31 વર્ષની જેલ

શહેઝાદ નેતલકર મુખ્ય કાવતરાખોર પૈકી એક છે. વિશેષ ન્યાયાધીશ જ્યોત્સનાબહેન યાજ્ઞિકે તેને આઇપીસી કલમ 326 હેઠળ 10 વર્ષ પસાર કર્યા બાદ 21 વર્ષની જેલની સજા ફરમાવી હતી.
નેતલકરને 29 ઑગસ્ટ, 2012ના રોજ હત્યા, કાવતરું ઘડવા માટે ભાજપના ધારાસભ્ય માયાબહેન કોડનાની સહિતના 32 દોષીઓ સહિત દોષિત ગણવામાં આવ્યો હતો. 31 ઑગસ્ટે સજા સંભળાવતા સમયે માયાબહેન કોડનાનીને મુખ્ય દોષિત અને નરોડામાં 97 લોકોની હત્યા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. અદાલતે તેમને કલમ 326 હેઠળ 10 વર્ષ કાઢ્યા બાદ 18 વર્ષની કેદની સજા ફરમાવી હતી.
અન્ય 7 દોષિતોને પણ કલમ 326 હેઠળ 10 વર્ષ કાઢ્યા બાદ 21 વર્ષની કેદની સજા ફરમાવી હતી. બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને જીવનપર્યંત જેલની સજા ફરમાવી હતી.












Click it and Unblock the Notifications
