નરોડા પાટિયા કેસ : એક દોષિતને 31 વર્ષની જેલ

naroda patiya case file photo
અમદાવાદ, 5 ઑક્ટોબર : આજે અમદાવાદની એક વિશેષ અદાલતે વર્ષ 2002ના નરોડા પાટિયા કેસના એક દોષિતને 31 વર્ષની જેલની આકરી સજા ફરમાવી છે. સુરેશ ઉર્ફે શહેઝાદ નેતલકર જામીન પરથી ભાગી ગયો હતો. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

શહેઝાદ નેતલકર મુખ્ય કાવતરાખોર પૈકી એક છે. વિશેષ ન્યાયાધીશ જ્યોત્સનાબહેન યાજ્ઞિકે તેને આઇપીસી કલમ 326 હેઠળ 10 વર્ષ પસાર કર્યા બાદ 21 વર્ષની જેલની સજા ફરમાવી હતી.

નેતલકરને 29 ઑગસ્ટ, 2012ના રોજ હત્યા, કાવતરું ઘડવા માટે ભાજપના ધારાસભ્ય માયાબહેન કોડનાની સહિતના 32 દોષીઓ સહિત દોષિત ગણવામાં આવ્યો હતો. 31 ઑગસ્ટે સજા સંભળાવતા સમયે માયાબહેન કોડનાનીને મુખ્ય દોષિત અને નરોડામાં 97 લોકોની હત્યા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. અદાલતે તેમને કલમ 326 હેઠળ 10 વર્ષ કાઢ્યા બાદ 18 વર્ષની કેદની સજા ફરમાવી હતી.

અન્ય 7 દોષિતોને પણ કલમ 326 હેઠળ 10 વર્ષ કાઢ્યા બાદ 21 વર્ષની કેદની સજા ફરમાવી હતી. બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને જીવનપર્યંત જેલની સજા ફરમાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X