સુરતમાં માતા બની કુમાતા, ત્રીજા માળેથી ફેંક્યુ નવજાત બાળક
બાળકનો મૃતદેહ રાત્રે લગભગ 11 વાગ્યે બિલ્ડિંગની નીચે લોહીથી લતપથ હાલતમાં મળ્યો હતો. ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું, જ્યાં શુક્રવારે સવારે તેનું મૃત્યું થઇ ગયું હતું. આ મામલે બાળકની માતા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સ્થાનિક રહેવાસીયોના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 11 વાગ્યે કોઇ વસ્તુ પડવાનો જોરથી અવાજ આવ્યો હતો. બહાર આવીને જોયુ તો એક બાળક ખુનમાં લથપથ પડ્યું હતુ. આ નવજાત બાળક અજમલ પેલેસ એપાર્ટમેન્ટની ત્રીજા માળે રહેતા સાપરિયા પરિવારની વહુ પૂજાનું હતું.
પૂજા અને તેના પાડોસમાં રહેતા જીતુની 6 મહીના પહેલા જ લવ મેરેજ થયા હતા. લગ્નના છ મહિના બાદ જ આ બાળકનો જન્મ થયો હતો. કહેવામાં આવે છે કે પૂજાએ 9 મહિનાની પ્રેગ્નેન્સી બાદ જ બાળકને જન્મ આપ્યો હતો. જેના કારણે પોલીસને પૂજાના પતિ પર શંકા જઇ રહી છે માટે આ અંગે પોલીસે પૂજાના પતિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.