RSSના નેતાઓ સાથે રાજકીય મુદ્દે ચર્ચા નથી થઇ : મોદી

આજે સવારે નાગપુરમાં આરએસએસના કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ મુલાકાતમાં તેઓ સરસંઘચાલક મોહન ભાગવત, ભૈયાજી અને સુરેશ સોની જેવા અગ્રણી આગેવાનોને મળ્યા હતા. સંઘના આગેવાનો સાથે તેમણે લગભગ સાડા ત્રણ કલાક ચર્ચા કરી હતી.
આ મુલાકાત અંગે માનવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી આ બેઠકમાં ચૂંટણી મુદ્દે વિસ્તારથી ચર્ચા કરશે. આ ઉપરાંત ગયા સપ્તાહે સુરતમાં ભાજપના અગ્રણી નેતા સંજય જોશીએ લીધેલી મુલાતાક અને તેના કારણે શરૂ થયેલી ચર્ચાઓ સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરશે.
આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "હું સંઘનો કાર્યકર રહ્યો છું. આથી ઘણા સમયથી આગેવાનોને મળ્યો ન હતો. આ મુલાકાત આનંદદાયક રહી. અમે મનની ઘણી બધી વાતો કરી છે. પણ કોઇ રાજકીય મુદ્દે ચર્ચા કરી નથી."












Click it and Unblock the Notifications
