હવે CBI ઈશરત કેસ પણ ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાની પેરવીમાં?

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સોહરાબુદ્દીન કેસ, કૌશરબી કેસ અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે સીબીઆઈ દ્વારા બહુચર્ચિત ઈશરત કેસને પણ મુંબઈ ટ્રાન્સફર કરવા માટે પ્રયાસો કરી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઈશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરતા ડીવાયએસપીને ધમકી આપવામાં આવી છે, જેના પગલે સીબીઆઈ દ્વારા આ મામલે કેન્દ્રના ગૃહ વિભાગ તથા ગુજરાત સરકારને પત્ર લખીને રજૂઆત કરાઈ છે કે તપાસનીશ અધિકારીના સુરક્ષાના હેતુથી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે તો તપાસનીશ અધિકારી ઉપર રહેલું જાનનું જોખમ હળવું થાય.
આ રજૂઆતમાં નોંધપાત્ર બાબત એ છે કે સીબીઆઈ દ્વારા તપાસનીશ અધિકારીને ધમકી મળી હોવાની રજૂઆત કરાઈ છે, પરંતુ સીબીઆઈ દ્વારા કોણે, ક્યારે, ક્યાંથી ધમકી આપી છે તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ રજૂઆતમાં કરાયો નથી. આ કેસમાં સીબીઆઈ દ્વારા સંભવત 4 જુલાઈની આસપાસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ જાય તે પછી કેસને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરવામાં આવે તેવી સંભાવના છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
