27 જુલાઈએ સૌની યોજનાના લીંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે, પીએમ મોદી ખુલ્લી મુકશે
સૌરાષ્ટ્રને નર્મદાના નીર પહોંચાડવા માટેની સરકારની મહત્વકાંક્ષી યોજના સૌની યોજનાના લીંક-3ના પેકેજ-8 અને 9નું 27 જૂલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પીએમ મોદી આ લોકાર્પણ કરશે.
27 જુલાઈએ સૌની યોજનાના લીંક-3ના પેકેજ-8 અને પેકેજ-9નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ બંને પેકેજની કામગીરી અંદાજિત 393.67 કરોડના ખર્ચે થઈ છે.

સૌની યોજના લીંક-3ના પેકેજ 8 અંતર્ગત રૂ.ર64.96 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટથી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-8ના 32.561 કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે 1.8 કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવેલ છે.
સૌની યોજના લીંક-3 પેકેજ-8 દ્વારા 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે 10,568 ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત આસપાસના 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.
સૌની યોજના લીંક-3ના પેકેજ-9માં આજી-1 એક્ષટેન્શન તથા ફોફળ-01 ફીડર એક્ષટેન્શન અન્વયે રૂ.128.71 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-4ના ઠેબચડા ગામ પાસેથી પાસેથી આજી-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 6.279 કિ.મી. લંબાઇની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે.
ફોફળ-1ના એક્ષટેન્શન ફીડર પાઇપલાઇનના કામમાં લીંક-3ના પેકેજ- 5 પાસેથી (ગામ : ચાંદલી તા. લોધિકા) કનેક્શન આપી ફોફળ-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 28.132 કિ.મી. લંબાઇની પાઇપલાઇન જોડવામાં આવી છે.
લોકાર્પિત થનાર પેકેજ-9 દ્વારા 38 ગામોના 23000 થી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઇની અને પીવાના પાણીની સુવિધાઓ મળશે.












Click it and Unblock the Notifications
