Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pahalgam Terror Attack : પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના બે નાગરિકોના પાર્થિવ દેહ અમદાવાદ લવાયા

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના બે નાગરિકોના પવિત્ર પાર્થેવ દેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના લોકોએ ક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Pahalgam Terror Attack - gujarat

પાર્થિવ દેહોને અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસ પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

આ સમગ્ર પ્રક્રિયા મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારના વહીવટી તંત્ર અને કાશ્મીર વહીવટીતંત્ર વચ્ચે નિરંતર સંકલન સાથે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ દુઃખદ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સતત નજર રાખી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા હિન્દુ તીર્થયાત્રીઓને નિશાન બનાવીને કરવામાં આવેલી આ નરાધમ હરકત સમગ્ર રાષ્ટ્ર માટે દુઃખદ અને પીડાદાયક છે.

જણાવી દઈએ કે, પહેલગામમાં થયેલા આ હુમલામાં 26 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ગુજરાતના પણ ત્રણ લોકોના જીવ ગયા છે.

આ હુમલા બાદ ભારત સરકાર એક્શનમાં આવી છે અને તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ કરાય છે. આ સિવાય ભારત સરકારે સિંધુ જળ સંધિ પર પણ રોક લગાવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X