ખેલૈયાઓ આનંદમાં, પેટ્રોલપંપની હડતાળ સમેટાઇ

અમદાવાદ સહિત ગુજરાતમાં ભરમાં સોમવારથી પેટ્રોલપંપ ધારકો દ્વારા સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પેટ્રોલિયમ મંત્રાલય તેમની કમિશન વધારવા સહિતની માંગોનો સ્વિકાર નહીં કરે ત્યાં સુધી આ હડતાળ ચાલું રાખવામાં આવશે. સામાન્ય જનતાને પેટ્રોલ અને ડિઝલ મેળવવામાં કોઇ હાડમારીનો સમાનો ના કરવો પડે એટલે એક સિફ્ટમાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
મંગળવારે સવારે હડતાળને સમેટી લેતા પેટ્રોલપંપ ધારકોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી માંગોને સ્વિકારી લેવામાં આવી છે. પેટ્રોલપંપ ધારકો દ્વારા ખર્ચમાં થઇ રહેલા વધારાના પગલે કમિશનમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. પેટ્રોલપંપ ધારકો દ્વારા હડતાળ સમેટી લેવામાં આવતા ખેલૈયાઓમાં આનંદની લહેરકી છવાઇ ગઇ છે. તો વાહન ચાલકોએ હાડમારીનો સામનો નહીં કરવો પડે તે બદલ રાહતનો શ્વાસ લીધો છે.












Click it and Unblock the Notifications
