ગુજરાત સરકાર સામે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ
અમદાવાદ, 7 મે : ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગપતિઓને ઓછી કિંમતોએ જમીન ફાળવણી કરી હોવાનો મુદ્દો ઉઠાવીને ગુજરાત રાજ્યનાં કેટલાક એક્ટિવિસ્ટોએ રાજ્ય સરકાર અને રાજ્યનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પીઆઈએલ (પબ્લીક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન) દાખલ કરી છે.
નરેન્દ્ર મોદી સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારનાં આરોપ હેઠળની આઠ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ રાજ્યમાં ઉદ્યોગપતિઓને મફતનાં ભાવે જમીન આપી હોવાની ફરિયાદ સાથે દાખલ કરાઈ છે.
એક્ટિવિસ્ટો દ્વારા પહેલી અપીલ જસ્ટીસ એમ.બી.શાહ કમિશનનને કરાઈ હતી. અયોગ્ય અને ગેરકાયદેસર જમીનનું વિતરણ તેમજ અન્ય વિષયો પરની પિટિશન અંગે સુનાવણી કરાઈ હતી જેમાં કમિશને મોદી સરકારને ક્લીન ચીટ આપી હતી.
પિટિશનરે આરોપ લગાવ્યો છે કે, સરકાર ઉદ્યોગો તરફેણ કરે છે અને તેમણે માગણી કરી છે કે, આ કેસોમાં સીબીઆઇ કે અન્ય કોઈ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે.