શિયાળ ગામે 15 જાન્યુઆરીએ પીએમ- જનમન અભિયાન કાર્યક્રમ યોજાશે
વડાપ્રધાન મોદી દ્વારા ગત વર્ષે 15 નવેમ્બર બિરસા મુંડા જયંતીના દિવસે પીએમ જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદીવાસી ન્યાય મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
પીએમ- જનમનનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિના અતિ પછાત (PVTG) સમુદાયના લોકોને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાનો છે. અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે બાવળા, વિરમગામ અને ધંધુકા તાલુકાના ગામોમાં અંદાજીત 17000 જેટલા પઢાર જાતિના લોકો વસવાટ કરે છે.

અમદાવાદ જિલ્લામાં પીએમ જનમન અંતર્ગત PVTG સમુદાય (પઢાર જાતિ)ની વસ્તી ધરાવતા દુર્ગી, દેવડથલ, શિયાળ અને શાહપુર ગામે 1 થી 3 જાન્યુઆરી દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે પીએમ જનમન શરૂ થયું ત્યારથી અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી વિવિધ યોજનાઓ પૈકી આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પી.ૉએમ કિસાન સન્માન નીધી, પીએમ જનધન યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જાતિ પ્રમાણપત્ર, રાશન કાર્ડ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) જેવી યોજનાઓમાં અંદાજીત 4000 જેટલા લોકોને લાભ આપવામાં આવ્યાં છે.
15 જાન્યુઆરીના રોજ પીએમ- જનમન અંતર્ગત જિલ્લા કક્ષાનો વડાપ્રધાનશ્રી દ્વારા સંવાદ કાર્યક્રમ બાવળાના શિયાળ ગામે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમમાં સરકારી વિભાગોના વિવિધ યોજનાકિય માહિતી અને લાભો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને યોજાશે. આ ઉપરાંત સંસદસભ્યો તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ










Click it and Unblock the Notifications
